ફાઇલ ફોટો (PTI Photo/Pawan Kumar)
ગુજરાતના સૌરાષ્ટ્ર સોમવાર સતત ચોથા દિવસે ભારે વરસાદ ચાલુ રહેતા અનેક જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. સુરત સહિતના દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સુરતમાં બે દિવસમાં આઠ ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
ઉપલેટાના લાઠ ગામમાં વાદળ ફાટ્યું હોય તેમ 3 કલાકમાં 12 ઈંચ જેટલો વરસાદ પડતા બજારોમાં નદીઓ વહેતી થઈ હતી અને મંદિર પણ ડૂબ્યા હતાં. ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ જતાં તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા જોવા મળ્યાં હતા. ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના કેટલાક ગામો બેટમાં ફેરવાઈ ગયા હતા તો કેટલાક ગામો પાણી ભરાવાને કારણે સંપર્કવિહોણા બન્યા હતા. સુરતમાં રવિવાર બાદ સોમવારે પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવતા શહેર પાણી-પાણી થઈ ગયું હતું. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં આભ ફાટતા માત્ર ચાર કલાકમાં જ 11 ઈંચ વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળ્યું હતું. આ દરમિયાન હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે અથિ અતિભારે વરસાદની આગાહી કરી હતી.
પોરબંદર અને દ્વારકા જિલ્લાએ મેઘપ્રકોપનો સામનો કરવો પડ્યો હતો. અનેક ગામડાંઓના સંપર્ક તૂટી ગયા હતાં અને અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, બચાવ અને રાહત કામગીરી અને NDRF ટીમોની તૈનાત કરવામાં આવી હતી.
સોમવાર, 22 જુલાઇએ આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં માત્ર છ કલાકમાં 10.7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં સવારે 6 થી બપોરના 12 વાગ્યા સુધીમાં સૌથી વધુ 10.7 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો જેમાંથી સવારે 10 થી બપોરના 12 વાગ્યા સુધીના માત્ર 2 કલાકમાં 5.8 ઈંચ વરસાદ પડ્યો હતો. દ્વારકા બાદ જૂનાગઢ, મંવદર અને માળીયા હાટીના વિસ્તારમાં સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીના છ કલાક દરમિયાન અનુક્રમે 6 અને 5.1 ઈંચ વરસાદ નોંધાયો હતો. સોમવારે કુલ 108 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં કલ્યાણપુર, માણાવદર, માળીયા હાટીના, ઉપલેટા, ગીર ગઢડા, વિસાવદર અને પલસાણામાં 3.5 થી 10 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં 20 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં સિઝનનો 37 ટકા વધુ વરસાદ થયો હતો, જ્યારે બાકીના ગુજરાતમાં વરસાદની આશરે 24 ટકા ઘટ રહી હતી. બે દિવસમાં સિઝનનો આશરે 80 ટકા વરસાદ થતાં પોરબંદર જળમગ્ન બન્યું હતું.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) એ જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં શનિવારે સાંજે 6 વાગ્યે પૂરા થયેલા 12 કલાકમાં 163 મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત જૂનાગઢ શહેર અને તાલુકામાં 133 મીમી વરસાદ, ગીર સોમનાથ જીલ્લાના પાટણ-વેરાવળમાં 117 મીમી વરસાદ નોંધાયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત જિલ્લાઓમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની 10 ટીમો તૈનાત કરવામાં આવી હતી અને પાણી ભરાયેલા નીચાણવાળા વિસ્તારોમાંથી ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લામાં અસાધારણ રીતે ભારે વરસાદ થયો હતો તથા જૂનાગઢ અને પોરબંદરમાં કેટલાંક સ્થળોએ અત્યંત ભારે વરસાદ થયો હતો. સૌરાષ્ટ્ર અને કચ્છ પર એક સાઇક્લોનિક સર્ક્યુલેશન ઊભું થયું છે અને તે દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. તેથી મંગળવારે સવાર સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.
ભારે વરસાદ વચ્ચે કેન્દ્રીય શ્રમ પ્રધાન અને પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને રાહત પ્રયાસોનું સંકલન કરવા તેમના મતવિસ્તારમાં પહોંચ્યા હતા.
શુક્રવાર, 19 જુલાઇ સાંજે 6 વાગ્યે પૂરા થયેલા 36 કલાકના સમયગાળામાં પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો, જેમાં પોરબંદર તાલુકામાં 565 મિલીમીટર વરસાદ થયો હતો. ભારે વરસાદને કારણે આ જિલ્લાઓમાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં, જેના પરિણામે કેટલાક રસ્તાઓ, કોઝવે અને અંડરપાસ બંધ થતાં ટ્રાફિક જામ થયો હતો. પોરબંદર તાલુકામાં 36 કલાકના સમયગાળામાં 565 મીમી વરસાદ નોંધાયો હતો, જે રાજ્ય માટે સૌથી વધુ હતો. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 412 મીમી, જૂનાગઢના કેશોદ તાલુકામાં 401 મીમી, જૂનાગઢના કેશોદ તાલુકામાં 353 મીમી વરસાદ નોંધાયો હતો. જૂનાગઢના વંથલી તાલુકામાં અને પોરબંદરના રાણાવાવ તાલુકામાં 330 મીમી વરસાદ ખાબક્યો હતો. પોરબંદરના
માણાવદર તાલુકામાં 212 મીમી, જૂનાગઢ જીલ્લાના માળીયા હાટીના તાલુકામાં 191 મીમી, જૂનાગઢ શહેરમાં 171 મીમી અને જૂનાગઢના મેંદરડા તાલુકામાં 164 મીમી વરસાદ નોંધાયો હતો.
પોરબંદરના કલેક્ટર કેડી લાખાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે આ દરિયાકાંઠાના પ્રદેશમાં ભારે વરસાદ અને
ટોપોગ્રાફીને કારણે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. કેટલીક અલગ-અલગ ઘટનાઓમાં, અમે કેટલાક લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડ્યા છે. જોકે, પાણીનો ભરાવો નિયંત્રણમાં છે. પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને સત્તાવાળાઓ સતર્ક છે,”

LEAVE A REPLY