ગુજરાત હાઇકોર્ટ ખાતે નવનિયુક્ત ન્યાયાધીશ સંજીવ જયેન્દ્ર ઠાકર, દીપ્તેન્દ્ર નારાયણ રાય અને મૌલિક જિતેન્દ્ર શેલતનો શપથગ્રહણ સમારોહ તાજેતરમાં યોજાયો હતો. ગુજરાત હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે આ ન્યાયાધીશોને ગુજરાત હાઇકોર્ટેના ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા હતા. ગુજરાત હાઇકોર્ટની ફર્સ્ટ કોર્ટમાં યોજાયેલા આ શપથગ્રહણ સમારોહમાં ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશો, એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદી સહિત વરિષ્ઠ વકીલો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ આ ત્રણેય ન્યાયાધિશોને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY