(PTI Photo)

ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે બોલિવૂડ સ્ટાર આમિર ખાનના પુત્ર જુનૈદની ડેબ્યૂ ફિલ્મ ‘મહારાજ’ની રિલીઝ પરનો વચગાળાનો સ્ટે હટાવી લીધો હતો અને કહ્યું હતું કે આ ફિલ્મમાં કોઈ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો ઇરાદો લાગતો નથી.

આ ફિલ્મ 1862ના બદનક્ષીના કેસ પર આધારિત છે. આ બદનક્ષી કેસ વૈષ્ણવ સંપ્રદાયના વડા અને સમાજ સુધારક કરસનદાસ મૂળજી સંબંધિત છે. પુષ્ટિમાર્ગ સંપ્રદાયના કેટલાક સભ્યોએ નેટફ્લિક્સ પર તેની રિલીઝ સામે એક અરજી દાખલ કરી હતી અને દાવો કર્યો હતો કે તે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે.

13 જૂને કોર્ટે OTT પ્લેટફોર્મ પર ફિલ્મની રિલીઝ પર વચગાળાનો સ્ટે મૂક્યો હતો.સિદ્ધાર્થ પી મલ્હોત્રા દ્વારા નિર્દેશિત અને આદિત્ય ચોપરા દ્વારા નિર્મિત આ ફિલ્મ 14 જૂને ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની હતી.અરજી અનુસાર 1862નો મહારાજ બદનક્ષીનો કેસ, “એક અગ્રણી વ્યક્તિ દ્વારા થતી ગેરવર્તણૂકના આરોપો” ના આધારે શરુ થયો હતો અને જેનો નિર્ણય બોમ્બેની સુપ્રીમ કોર્ટના અંગ્રેજ ન્યાયાધીશો દ્વારા લેવામાં આવ્યો હતો. જેમાં હિંદુ ધર્મની નિંદા કરવામાં આવી હતી અને ભગવાન કૃષ્ણ તેમજ ભક્તિ ગીતો અને સ્તોત્રો વિરુદ્ધ ગંભીર ટિપ્પણીઓ કરવામાં આવી હતી. જો આવી ફિલ્મને રિલીઝ કરવાની પરવાનગી આપવામાં આવે તો તેમની ધાર્મિક લાગણીઓને ગંભીર ઠેસ પહોંચે અને ભરપાઈ ન થઇ શકે તેવું નુકસાન થશે.

LEAVE A REPLY