FILE: Spicejet airlines
ભારતની ઉડ્ડયન ક્ષેત્રની નિયમનકારી સંસ્થાએ કટોકટીગ્રસ્ત કંપની સ્પાઇસજેટને વધારાના સર્વેલન્સ હેઠળ મૂકવાનો 29 ઓગસ્ટે નિર્ણય કર્યો હતો. આનાથી એરલાઈનની કામગીરીની સલામતી સુનિશ્ચિત કરવા માટે સ્પોટ ચેકિંગ અને નાઈટ સર્વેલન્સમાં વધારો થશે.
ફ્લાઇટ્સ કેન્સલેશન અને નાણાકીય ભીડ અહેવાલોના આધારે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ જણાવ્યું હતું કે તેને 7 અને 8 ઓગસ્ટના રોજ એરલાઇનની એન્જિનિયરિંગ સુવિધાઓનું વિશેષ ઓડિટ હાથ ધર્યું હતું અને ઓડિટ દરમિયાન કેટલીક ખામીઓ મળી આવી હતી.ભૂતકાળના રેકોર્ડ અને ઓગસ્ટ 2024 માં હાથ ધરવામાં આવેલા વિશેષ ઓડિટના આધારે લસ્પાઈસજેટને ફરી એકવાર તાત્કાલિક અસરથી ઊંચી દેખરેખ હેઠળ મૂકવામાં આવી છે. 2023માં પણ નિયમનકારે સ્પાઇસજેટને વધારાની દેખરેખ હેઠળ મૂકી હતી. નો-ફ્રીલ્સ કેરિયર નાણાકીય અને કાનૂની સમસ્યાઓ સહિત બહુવિધ મુશ્કેલીઓ સાથે ઝઝૂમી રહી છે અને તે ભંડોળ એકત્ર કરવાની પ્રક્રિયામાં પણ છે.

LEAVE A REPLY