(Photo by SEBASTIAN D'SOUZA/AFP via Getty Images)

સ્પોર્ટ્સ સ્ટાર હોય કે ફિલ્મ સ્ટાર તેઓ હંમેશા તેમના ચાહકોમાં અનોખું સ્થાન ધરાવતા હોય છે. આવી સેલીબ્રિટીઝ ક્યારેક તેઓ અંગત જીવનમાં પણ સારા કાર્યો કરીને પોતાના ચાહકોમાં પોતાનું સન્માન વધારતા હોય છે. બોલીવૂડમાં કેટલાક એવા કલાકારો પણ છે જેમણે અંગદાન કરવાનો સંકલ્પ લીધો છે. અહીં એ કલાકારો વિશે માહિતી આપવામાં આવી છે.

સલમાન ખાન
સલમાન ખાન તેની ઉદારતા અને સામાજિક કાર્યો માટે જાણીતો છે. તેણે બોન મેરોનું દાન કર્યું હોવાનું કહેવાય છે. તે 2010માં એક બાળકીનો જીવ બચાવવા માટે બોન મેરો ડોનર બન્યો હતો. આવું દાન કરનાર તે ભારતનો પ્રથમ સેલિબ્રિટી છે. સામાન્ય ભાષામાં બોન મેરો એટલે મનુષ્યના લાંબા હાડકાઓના પોલાણમાં ટિશ્યુ હોય છે, જે બોન મેરો એટલે કે અસ્થિ મજ્જાના નામથી ઓળખાય છે. આ બોન મેરો બ્લેડ સેલ્સ ફેકટરીના નામથી પણ જાણીતા છે. તેનું કામ બ્લડ સેલ્સ બનાવાનું છે.

પુનીત રાજકુમાર
કન્નડ સ્ટાર પુનીત રાજકુમારે પોતાના મૃત્યુ પછી આંખોનું દાન કર્યું હતું. ૨૯ ઓકટોબરના રોજ તેનું હૃદયરોગના હુમલાના કારણે અવસાન થયું હતું. તેની અંતિમ વિધિ અગાઉ નેત્રદાન કરવામાં આવ્યું હતું.

વિજય દેવરકોંડા
સાઉથ ઇન્ડિયન ફિલ્મોના લોકપ્રિય અભિનેતા વિજય દેવરકોંડાએ પણ અંગદાન કરવાનો સંકલ્પ લીધો હતો. તેણે હૈદરાબાદની એક હોસ્પિટલમાં એક કાર્યક્રમ દરમિયાન અંગદાન કરવાની જાહેરાત કરી હતી.

પ્રિયંકા ચોપરા
બોલીવૂડ અભિનેત્રી અને હવે અમેરિકામાં સ્થાયી થયેલી પ્રિયંકા ચોપરાએ તેના પિતા અશોક ચોપરાની સારવાર માટે રોચસ્ટર યૂનિવર્સિટી મેડિકલ સેન્ટરમાં હતી, ત્યારે આ સંસ્થાએ સોલિડ ઓર્ગન ટ્રાન્સપ્લાન વિશે તેની માહિતી આપી હતી. આ માહિતીથી પ્રિયંકા ખૂબ પ્રભાવિત થઇ હતી અને તેણે પોતાના દરેક અંગનું દાન કરવાનો નિર્ણય લીધો હતો.

અમિતાભ બચ્ચન
બોલીવૂડના સદાબહાર પીઢ અભિનેતા અમિતાભ બચ્ચનને 2020માં પોતાના શરીરના દરેક અંગોનું દાન કરીને અન્ય લોકોના જીવન બચાવવાનો નિર્ણય કર્યો છે.

આમિર ખાન

બોલીવૂડના ચોકલેટી અભિનેતા આમિરે ખાને પોતાના દરેક અંગનું દાન કરવાનો નિર્ણય કર્યો છે.

ઐશ્વર્યા રાય

ભૂતપૂર્વ વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય તેની આંખોની સુંદરતા માટે પણ ખૂબ જ જાણીતી છે. તેણે ઘણા વર્ષો અગાઉ પોતાની આકર્ષક આંખોને આઈ બેન્ક એસોસિએશન ઓફ ઇન્ડિયાને દાન કરવાનું વચન આપ્યું હતું.

રાણી મુખર્જી
ઐશ્વર્યા રાયની જેમ રાની મુખરજીએ પણ પણ પોતાની આંખોનું દાન કરવાનું વચન આપ્યું હતું.

આલિયા ભટ્ટ
યુવા અભિનેત્રી અને રણબીર કપૂરની પત્ની આલિયા ભટ્ટે પણ પોતાના દરેક અંગોનું દાન કરવાનો સંકલ્પ લીધો છે.

 

LEAVE A REPLY