સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (યુકે) લિમિટેડ (એસબીઆઈ યુકે)ની સાઉથહોલ શાખાની 50મી વર્ષગાંઠની ભવ્ય ઉજનણી બ્રાન્ચ પરિસરમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં ગર્વભેર કરવામાં આવી હતી. જેમાં બેંકના ગ્રાહકો, VIP મહેમાનો અને SBI UKના સમર્પિત સ્ટાફ દ્વારા ઇતિહાસના મહત્વપૂર્ણ સીમાચિહ્નની ઉજવણી કરવામાં આવી હતી.

SBI UKના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી સુધીર શર્માએ વફાદાર ગ્રાહકો અને મહેનતુ સ્ટાફ પ્રત્યે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે “50-વર્ષની સફર અમારા આદરણીય ગ્રાહકો તરફથી અમને મળેલા સ્થાયી વિશ્વાસ, સમર્થન અને અમારા સ્ટાફના અવિરત સમર્પણનો પુરાવો છે. અમે આ સુવર્ણ જયંતિની ઉજવણી થકી અમારા ગ્રાહકોને નવીન બેંકિંગ સોલ્યુશન્સ અને અપ્રતિમ સેવા પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાની ફરીથી પુષ્ટી કરીએ છીએ. અમારુ ધ્યેય આ મજબૂત પાયા પર નિર્માણ કરવાનું ચાલુ રાખવાનું છે અને સમુદાયની ભાવિ સફળતાઓમાં વિશ્વાસપાત્ર ભાગીદાર બની રહેવાનું છે.”

એસબીઆઈ યુકેના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ડેપ્યુટી સીઈઓ શ્રીમતી સકુંતલા સાન્યાલે બેંકના વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ અને સમુદાય-કેન્દ્રિત અભિગમ પર ભાર મૂકતા કહ્યું હતું કે “સાઉથોલ શાખાનો અડધી સદીનો વારસો સાઉથોલના સમુદાયની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટેની અમારી અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. અમને આ સિદ્ધિ પર ખૂબ જ ગર્વ છે અને વધુ ઘણા વર્ષોની સફળ ભાગીદારી અને વૃદ્ધિની આતુરતાપૂર્વક અપેક્ષા રાખીએ છીએ.”

ઈલિંગ સાઉથોલના ભૂતપૂર્વ સાંસદ શ્રી વીરેન્દ્ર શર્માએ SBI UKની અનુકરણીય સેવા અને સાઉથોલ સમુદાય પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા માટે પ્રશંસા કરી હતી.

એસબીઆઈ યુકે વિશ્વની અગ્રણી બેંકોમાંની એક અને ફોર્ચ્યુન 500 કંપની છે અને યુકેમાં 11 શાખાઓ દ્વારા વિવિધ સેવાઓની વ્યાપક શ્રેણી ઓફર કરે છે. વધુ માહિતી માટે https://sbiuk.statebank/ ની મુલાકાત લો

LEAVE A REPLY