મથુરાવાસી વિખ્યાત ભાગવત કથાકાર પૂ. રાજુભાઇ શાસ્ત્રીજી અમેરિકાના ન્યુ જર્સી ખાતે કથા-સત્સંગ વગેરે કાર્યક્રમો પતાવ્યા બાદ તા. 1 જુલાઇના રોજ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિના પ્રચાર અર્થે લંડન પધારી રહ્યા છે. યુકેમાં તેઓ લેસ્ટર, લંડન વગેરે સ્થળે કથા-સત્સંગ વગેરે કાર્યક્રમોનો લાભ આપશે.

તેમની દેખરેખમાં મથુરા – વૃંદાવનમાં ગર્ગાચાર્ય ગુરુકુળ સેવા ટ્રસ્ટ મથુરાના માધ્યમથી રોડ પર રખડતી, બીમાર તેમજ અસ્વસ્થ ગાયો માટે વૃંદાવનના પાની ઘાટ પાસે સ્થાપવામાં આવેલી ગોપાલ ગૌશાળા તથા બાલ મંદિર ચલાવે છે.

વધુ માહિતી માટે સંપર્ક : રાજુભાઇ આર. શાસ્ત્રી – 0091 94104 44962 Email: [email protected] અને U.K: +44-75879 83208

LEAVE A REPLY