ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે 12 ઓક્ટોબરના રોજ દશેરાના શુભ પ્રસંગે પશ્ચિમ બંગાળના સુકના મિલિટરી સ્ટેશન પર પરંપરાગત શસ્ત્ર પૂજા કરી હતી. તેમણે કળશ પૂજા સાથે વિધિની શરૂઆત કરી હતી, ત્યારબાદ શસ્ત્ર પૂજા અને વાહન પૂજા કરી હતી. તેમણે અત્યાધુનિક પાયદળ, આર્ટિલરી અને કોમ્યુનિકેશન સિસ્ટમ, મોબિલિટી પ્લેટફોર્મ અને ડ્રોન સિસ્ટમ સહિત અનેક આધુનિક સૈન્ય ઉપકરણો માટે પ્રાર્થના પણ કરી હતી. પોતાનાં સંબોધનમાં રાજનાથ સિંહે સરહદો પર શાંતિ અને સ્થિરતા જાળવવામાં સૈન્ય દળોની સતર્કતા અને મહત્ત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “દશેરા અનિષ્ટ પર સારપની જીતનું પ્રતીક છે અને સૈનિકો માનવીય મૂલ્યો માટે સમાન આદર ધરાવે છે. “ભારતે ક્યારેય કોઈ પણ દેશ પર નફરત કે તિરસ્કારથી હુમલો કર્યો નથી. આપણે ત્યારે જ લડીએ છીએ જ્યારે કોઈ આપણી અખંડિતતા અને સાર્વભૌમત્વનું અપમાન કરે અથવા તેને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે; જ્યારે ધર્મ, સત્ય અને માનવીય મૂલ્યોની વિરુદ્ધ યુદ્ધ છેડવામાં આવે છે. આ જ આપણને વારસામાં મળ્યું છે. અમે આ વારસાનું જતન કરતા રહીશું. જો કે, જો અમારા હિતો પર જોખમ ઉભું થશે, તો અમે કોઈ મોટું પગલું ભરતા અચકાશું નહીં. શસ્ત્ર પૂજા એ સ્પષ્ટ સંકેત છે કે જો જરૂર પડશે, તો શસ્ત્રો / ઉપકરણોનો ઉપયોગ સંપૂર્ણ બળ સાથે કરવામાં આવશે.”

LEAVE A REPLY