(ANI Photo)

પહેલગામ ત્રાસવાદી હુમલા પછી તંગદિલે વચ્ચે પાકિસ્તાનને સોમવાર, 28 એપ્રિલે સતત ચોથા દિવસે અંકુશરેખા પર ફાયરિંગ કર્યું હતું અને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ચાલુ રાખ્યું હતું. સોમાવારે પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ-કાશ્મીરના પૂંછ અને કુપવાડા જિલ્લામાં કોઈ પણ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો હતો.

સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે ૨૭-૨૮ એપ્રિલની રાત્રે કુપવાડા અને પૂંછ જિલ્લાની નિયંત્રણ રેખા પર સીમા પારથી નાના હથિયારોથી ગોળીબાર થયો હતો. ભારતીય સૈનિકોએ ઝડપી અને અસરકારક વળતો જવાબ આપ્યો હતો. કોઈ જાનહાનિના અહેવાલ નથી.ગુરુવારે રાત્રે, તેમજ 25-26 એપ્રિલ અને 26-27 એપ્રિલની રાત્રે, પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા (LoC) પર વિવિધ ભારતીય સ્થળો પર ગોળીબાર કર્યો હતો અને દરેક વખતે યોગ્ય જવાબ અપાયો હતો.
પહેલગામ હુમલામાં સંડોવાયેલા આતંકવાદીઓનો સફાયો કરવાની ભારતની ચીમકી પછી પાકિસ્તાની સૈન્યને હાઇ એલર્ટ પર છે.

પહેલગામ હુમલા પછી ભારતે ગયા બુધવારે 65 વર્ષ જૂની સિંધુ જળ સંધિને સ્થગિત કરવા, અટારી જમીન-સીમા ક્રોસિંગ બંધ કરવા સહિતના સંખ્યાબંધ પગલાં લીધા હતા.તેના જવાબમાં, પાકિસ્તાને ગુરુવારે તમામ ભારતીય એરલાઇન્સ માટે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરવાની અને નવી દિલ્હી સાથેના વેપારને સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.

પહેલગામ હુમલા પર દેશવ્યાપી આક્રોશ વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું કે હત્યારાઓનો “પૃથ્વીના છેડા સુધી” પીછો કરવામાં આવશે. દરેક આતંકવાદી અને તેમના સમર્થકોને ઓળખવા, ટ્રેક કરવા અને સજા આપવા કાર્યવાહી કરાશે.

LEAVE A REPLY