Yonhap via REUTERS

દક્ષિણ કોરિયાની લેખિકા હાન કાંગને સાહિત્યના ક્ષેત્રમાં ૨૦૨૪નો નોબેલ પુરસ્કાર એનાયત કરવાની ગુરુવારે જાહેરાત કરાઈ હતી. તેમના પુસ્તકોમાં ધ વેજિટેરિયન, ધ વ્હાઇટ બુક, હ્યુમન એક્ટ્સ અને ગ્રીક લેસન્સનો સમાવેશ થાય છે. સાહિત્યનનો નોબેલ એવોર્ડ જીતનાર તે દક્ષિણ કોરિયાની પ્રથમ અને 18મી મહિલા લેખિકા છે.

તેમણે લિટરેશન એન્ડ સોસાયટી નામના મેગેઝિનમાં સંખ્યાબંધ કવિતાઓના પ્રકાશન સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી.ગદ્ય શરૂઆત 1995માં ટૂંકી વાર્તા સંગ્રહ “લવ ઓફ યેઓસુ” સાથે થઈ હતી.

હાન કાંગનો જન્મ દક્ષિણ કોરિયાના ગ્વાંગજુમાં ૧૯૭૦માં થયો હતો. તેઓ ૯ વર્ષના હતાં ત્યારે પરિવાર સાથે સિઓલમાં સ્થાયી થયા હતાં. તેમના પિતા પણ પ્રતિષ્ઠિત લેખક હતાં. હાન કાંગે લેખન સાથે કલા અને સંગીતમાં પણ સારું યોગદાન આપ્યું છે.

કાંગે ૧૯૯૩માં કોરિયન પત્રિકામાં ઘણી કવિતાઓના પ્રકાશન સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમના ગદ્યની શરૂઆત ૧૯૯૫માં લઘુ વાર્તાસંગ્રહ ‘લવ ઓફ યેઓસુ’ સાથે થઇ હતી. હાન કાંગની મુખ્ય આંતરરાષ્ટ્રીય નવલકથાઓમાં ધ વેજિટેરિયન સામેલ છે. તે ત્રણ ભાગમાં લખાયેલી છે. વાર્તાનો હીરો માંસ નહીં ખાવાનો નિર્ણય લે છે અને ત્યાર પછી તેને જુદીજુદી પ્રતિક્રિયાનો સામનો કરવો પડે છે.

૫૩ વર્ષના લેખિકાને ‘બુકર પ્રાઇઝ’ પણ મળી ચૂક્યું છે. સાહિત્યના ક્ષેત્રમાં અત્યાર સુધી ૧૨૧ લોકોને નોબેલ પુરસ્કાર મળી ચૂક્યો છે. જેમાં ૧૮ મહિલાનો સમાવેશ થાય છે. ભારતના માત્ર રવિન્દ્રનાથ ટાગોરને આ સન્માન પ્રાપ્ત થયું છે. તેમને ૧૯૧૩માં પુરસ્કાર એનાયત કરાયો હતો.

LEAVE A REPLY