(ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 22 સપ્ટેમ્બરે ન્યૂયોર્ક રાજ્યના નસાઉ સ્ટેડિયમમાં “મોદી એન્ડ યુએસ પ્રોગ્રેસ ટુગેધર’ ઇવેન્ટને સંબોધિત કરશે. મોદીના આ સંબોધન માટે ભારતીય અમેરિકનોનામાં અભૂતપૂર્વ ઉત્સાહ છે. 15,000ની ક્ષમતાના સ્ટેડિયમમાં યોજાનારા આ કાર્યક્રમ માટે 590 કમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન મારફત આશરે 24,000 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

ઇન્ડો અમેરિકન કોમ્યુનિટી (આઈએસીયુ)ના સંયોજકે શક્ય હોય તેટલાં વધુ લોકોને સમાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. એક મુખ્ય પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે બેઠક વ્યવસ્થાને વિસ્તૃત કરવા અને અમારા સ્વાગત ભાગીદારો સાથે સંકલન કરવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરવા જઈ રહ્યા છીએ જેથી તેઓ હાજરીની અપેક્ષા રાખતા હોય તેમને અંતિમ બેઠક ફાળવણીને પ્રાથમિકતા આપી શકે.”

અગાઉ નરેન્દ્ર મોદી 2014માં ન્યૂયોર્કના મેડિસન સ્કવેર ગાર્ડન અને 2019માં હાઉડી મોદી કમ્યુનિટી ઇવેન્ટને સંબોધી ચૂક્યા છે. આ બંને ઇવેન્ટમાં મોટી સંખ્યામાં ભારતીયોએ ભાગ લીધો હતો.

વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં ભાગ લેવા માટે અમેરિકાનાં 50માંથી 42 રાજ્યોમાંથી ભારતીયોની આવવાની શક્યાતા છે. મુખ્ય આયોજક આઈએસીયુના પ્રમાણે સૌથી વધુ રજિસ્ટ્રેશન ન્યૂયોર્ક, ન્યૂ જર્સી, કનેક્ટિકટ, ટેક્સાસ, ફલોરિડાથી થયાં છે. 590 ભારતીય-અમેરિકન સમુદાય વડાપ્રધાનના કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી રહ્યાં છે. ભારતીય-અમેરિકનોના વિવિધ ધાર્મિક અને ભાષા સંગઠનો આમાં સામેલ છે. નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમમાં સાયન્સ, મનોરંજન અને બિઝનેસ સાથે જોડાયેલા સફળ ઇન્ડિયન અમેરિકનો લોકો ભાગ લેશે. ​​આ ઉપરાંત ​​​​​વડાપ્રધાન મોદી 26 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં યુએન જનરલ એસેમ્બલીનું 79મું સત્ર સંબોધશે.

LEAVE A REPLY