શુક્રવાર, ૧૪ માર્ચ, ૨૦૨૫ ના રોજ રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગ્યા બાદ ધુમાડાના ગોટેગોટા નીકળે છે. (PTI Photo)

રાજકોટ શહેરમાં શુક્રવારે સવારે 12 માળની રહેણાંક ઇમારતમાં ભીષણ આગ લાગવાથી ત્રણ લોકોના મોત થયા હતાં અને એક ઘાયલ થયો છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 40 લોકોને બચાવી લેવાયા હતા. શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ વિસ્તારમાં આવેલા ટાવરમાં ફસાયેલા લગભગ ૪૦ રહેવાસીઓને બચાવી લેવામાં આવ્યાં હતાં.

સહાયક પોલીસ કમિશનર બી.જે. ચૌધરીએ જણાવ્યું હતું કે એટલાન્ટિસ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે આવેલા એક ફ્લેટમાં સવારે ૯.૩૦ વાગ્યાની આસપાસ આગ લાગી હતી. તે શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. આગમાં ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે એક ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. બપોરના સુમારે આગ પર કાબુ મેળવાયો હતો.

ત્રણ મૃતકોમાંથી બેની ઓળખ કલ્પેશ લેઉવા અને મયુર લેઉવા તરીકે થઈ હતી. ત્રીજા વ્યક્તિની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. બે પીડિતો બહારના હંતા અને કોઈ કામ માટે બિલ્ડિંગમાં આવ્યા હતાં. અધિકારીએ જણાવ્યું હતું કે અમે ગાઢ ધુમાડાને કારણે ઉપરના માળે ફસાયેલા લગભગ 40 લોકોને બચાવ્યા છે. તેમાંથી પાંચને ફાયર બ્રિગેડની હાઇડ્રોલિક ક્રેનનો ઉપયોગ કરીને નીચે ઉતારવામાં આવ્યા હતાં.

LEAVE A REPLY