FILE PHOTO: REUTERS/Chris Helgren/File Photo

અમેરિકાએ મંગળવારે આક્ષેપ કર્યો હતો કે ગયા વર્ષે એક શીખ અલગતાવાદીની હત્યાની તપાસમાં કેનેડાને ભારત સહકાર આપી રહ્યું નથી.

અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે તેમની દૈનિક ન્યૂઝ કોન્ફરન્સમાં પત્રકારોને જણાવ્યું હતું કેનેડિયન મામલાની વાત આવે છે, ત્યારે અમે સ્પષ્ટ કર્યું છે કે આરોપો અત્યંત ગંભીર છે અને તેને ગંભીરતાથી લેવાની જરૂર છે. અમે ભારત સરકાર કેનેડાને તેની તપાસમાં સહકાર આપે તે જોવા માગીએ છીએ. દેખીતી રીતે, તેઓએ તે રસ્તો પસંદ કર્યો નથી.

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ એક દિવસ પહેલા આરોપ લગાવ્યો હતો કે ગયા જૂનમાં સરેમાં શીખ અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના અધિકારીઓ સામેલ હતાં. RCMP પાસે સ્પષ્ટ પુરાવા છે કે ભારત સરકારના એજન્ટો જાહેર સલામતી માટે નોંધપાત્ર ખતરો ઉભી કરતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે અને તેમાં જોડાવાનું ચાલુ રાખે છે. આમાં ગુપ્ત માહિતી એકત્ર કરવાની તકનીકો, દક્ષિણ એશિયાના કેનેડિયનોને નિશાન બનાવતી બળજબરીભરી વર્તણૂક અને હત્યા સહિત ડઝનથી વધુ ધમકી અને હિંસક કૃત્યોમાં સંડોવણીનો સમાવેશ થાય છે. આ અસ્વીકાર્ય છે.
આરોપોને નકારી કાઢતા, ભારતે કેનેડામાંથી તેના હાઈ કમિશનરને પરત બોલાવ્યા એટલું જ નહીં પરંતુ તેના છ રાજદ્વારીઓને નવી દિલ્હીમાંથી હાંકી કાઢ્યા હતાં.

 

LEAVE A REPLY