વડોદરામાં ભારે વરસાદથી સર્જાયેલ પૂરના પગલે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત, તમામ પ્રધાનો અને ભા.જ.પા.ના તમામ ધારાસભ્યો એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહતનિધીમાં જમા કરાવશે તેવું પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે તાજેતરમાં ગાંધીનગર ખાતે જણાવ્યું હતું. તાજેતરમાં સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો, જેની વચ્ચે વડોદરામાં ભારે વરસાદથી પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. આ પરિસ્થિતીમાં પણ પ્રજાની પડખે રહીને તેમને મદદરૂપ થવા માટે પ્રધાન મંડળ અને ધારાસભ્યોએ એકજૂટ થઇ જન હિતલક્ષી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી રાહત નિધીમાં પ્રાપ્ત થનાર રકમ વડોદરાના પૂર પીડિતોના પુન:વસન અને તેમના મદદ માટે ઉપયોગમાં લેવામાં આવશે.

LEAVE A REPLY