Untitled.png
AAHOA ના ભૂતપૂર્વ ચેરમેન મનહર પી. ‘એમપી’ રામાનું 74 વર્ષની વયે રવિવારે અવસાન થયું હતું. રામાએ તેમના ભાઇઓ સાથે જેએચએમ હોટેલ્સની સ્થાપના કરી હતી. આ હોટેલ્સ પછીથી સાઉથ કેરોલાઈનાના ગ્રીનવિલેમાં ઓરો હોટેલ્સ બની હતી.
ઓરો હોટેલ્સના જણાવ્યા અનુસાર રામાનો જન્મ આફ્રિકામાં અને ઉછેર ભારતમાં થયો હતો. તેમણે નવસારીના ગુરુકુલ સુપામાં હાઈસ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને બરોડાની એમ. એસ. યુનિવિસિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી હાંસલ કરી હતી. 1973માં તેઓ યુ.એસ. ગયા હતા અને  કેલિફોર્નિયાના પોમોનામાં કેલિફોર્નિયા સ્ટેટ પોલિટેકનિક યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. હોટેલ બિઝનેસમાં પ્રવેશતા પહેલા તેમણે પોમોના શહેરમાં કામ કર્યું હતું.
JHM/Auro હોટેલ્સના સ્થાપકના એચ પી રામાએ જણાવ્યું હતું કે “શ્રી ઓરોબિંદોના ઉપદેશોમાં આપણાને શીખવા મળ્યું છે કે જીવન એ આત્માની સફર છે અને મારા ભાઈ M.P. એ અતૂટ ભક્તિ, પ્રેમ અને સમર્પણ સાથે આ સફર કરી છે. અમારા પરિવાર અને હોસ્પિટાલિટી ઉદ્યોગમાં તેમનું યોગદાન અપાર છે. અમે તેમના પ્રિય મૂલ્યો મૂર્તિમંત કરવાનું જાળવી રાખી તેમની સ્મૃતિનું સન્માન કરીશું. M.P.ના આદર્શો આપણા બધા માટે માર્ગદર્શક પ્રકાશ બની રહેશે.”
આહોઆએ એક નિવેદનમાં જણાવ્યા અનુસાર એમ. પી. રામાએ 2005થી 2006 સુધી AAHOAના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. તેમના ભાઈ AAHOAના સ્થાપક HP રામા અને AAHOAના ભૂતકાળના અધ્યક્ષ જયંતિ પી. “JP” રામા છે, જેમનું ફેબ્રુઆરી 2022માં અવસાન થયું હતું.
મેરીલેન્ડના બાલ્ટીમોરમાં 2022માં યોજાયેલા  AAHOAના કન્વેન્શન એન્ડ ટ્રેડ શોમાં રામાનું સેસિલ બી. ડે કોમ્યુનિટી સર્વિસ એવોર્ડથી બહુમાન કરાયું હતું. તે સમયે તેમણે કહ્યું હતું કે AAHOAમાં તેમનો પ્રોફેશનલ અને એક વ્યક્તિ તરીકે વિકાસ થયો હતો. આ અસોસિએશને મને મારી કુશળતા વિકસાવવાની તથા ભાવિ વિષે વિચારવાની અને વધુ જવાબદારીઓ સંભાળવાની ક્ષમતા વધુ વિસ્તૃત કરવાની તક આપી હતી.
AAHOAના ચેરમેન મિરાજ પટેલે જણાવ્યું હતું કે “હું એમ. પી. અંકલને ઘણા વર્ષોથી ઓળખું છું અને તેઓ હંમેશા યુવા પ્રોફેશનલ્સના મોટા હિમાયતી રહ્યા છે. મને AAHOA ખાતેની મારી સફરમાં તેમણે વ્યક્તિગત રીતે માર્ગદર્શન પૂરું પાડ્યું છે. AAHOA બોર્ડ અને નેતૃત્વ વતી અમે તેમના પરિવાર અને તેમના પરિચિત અને પ્રેમ કરતા તમામ લોકો પ્રત્યે અમારી નિષ્ઠાપૂર્વક સંવેદના વ્યક્ત કરીએ છીએ.”
એમ. પી. રામા તેમના પરિવારમાં પત્ની સુરેખા અને બાળકો સિમા તથા વિનય રામા, તેમના બે ભાઈઓ, એચ. પી. અને રમણ “આર. પી.” રામા તથા તેમની બહેનો, મધુ વિવેક, હંસા દેવા, પુષ્પા લાલ અને પ્રવિણા ઠાકોરને વિલાપ કરતાં છોડી ગયા છે.
ઓરો હોટેલ્સના જણાવ્યા અનુસાર તેમણે વેદિક સેન્ટર ઓફ ગ્રીનવિલેના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી અને મેરિઅટની એડવાઇઝરી કાઉન્સિલના સક્રિય સભ્ય હતાં. તેઓ યુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ ફ્લોરિડા ફાઉન્ડેશનના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના સક્રિય સભ્ય પણ હતાં.
રામાએ હિલ્ટન બાય હેમ્પટન ઇનની સલાહકાર કાઉન્સિલ, ગ્રીનવિલે કન્વેન્શન એન્ડ વિઝિટર બ્યુરોના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અને દક્ષિણ કેરોલાઈના હોસ્પિટાલિટી એસોસિએશનના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં સેવા આપી હતી. તેમને 1995માં યુ. એસ. સ્મોલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન તરફથી “ઉદ્યોગસાહસિક સફળતા પુરસ્કાર” મળ્યો હતો. ઓર્લાન્ડો, ફ્લોરિડામાં આયોજિત મહાત્મા ગાંધી ડાયવર્સિટી બ્રેકફાસ્ટમાં તેમને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો હતો

LEAVE A REPLY