દિલ્હી હાઇકોર્ટના ન્યાયમૂર્તિ યશવંત વર્માના સત્તાવાર નિવાસસ્થાનેથી કથિત જંગી રોકડ રકમ મળી હોવાના સમાચારથી ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના પછી સુપ્રીમ કોર્ટની કોલેજિયમે જજ યશવંત શર્માની અલ્લાહાબાદ ખાતે બદલીની ભલામણ કરી છે. સૂત્રો જણાવ્યા મુજબ જસ્ટિસ યશવંત વર્માના સરકારી બંગલામાં આગ લાગી હતી. જેને ઓલવવા જતાં ટીમને ત્યાં ભારે માત્રામાં રોકડ મળી આવતા, તેમની બદલી કરવામાં આવી હોવાની ચર્ચા છે.
સૂત્રો કહે છે કે, ફાયર બ્રિગેડના અધિકારીઓ જ્યારે આગ ઓલવવા પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે તેમને રોકડ નાણાનો ઢગલો મળી આવ્યો હતો. આ મામલે તાત્કાલિક CJIના નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમને જાણ કરાઈ હતી અને પછી યશવંત વર્માની બદલીનો નિર્ણય લેવામાં આવ્યો હતો.આગ લાગી ત્યારે યશવંત વર્મા શહેરમાં જ હાજર નહોતા. આથી તેમના પરિવારના સભ્યોએ ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. આ મામલે રેકોર્ડબુકમાં પણ મોટી માત્રામાં રોકડ મળ્યાની નોંધ કરાઈ હતી.
