અનુપમ મિશન ડેનહામ ખાતે સંત ભગવંત પ. પૂ.  સાહેબજીના સાન્નીધ્યમાં ગુરૂપૂર્ણિમાનો મંગલકારી ઉત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે અગ્રણીઓ સર્વ શ્રી સૌનક ઋષીજી, વર્તનભાઇ, કાઉન્સિલર રામજીભાઇ ચૌહાણ, પૂ. સતિષભાઇ ચતવાણી, પૂ. વિનુભાઈ સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

સૌ ભક્તોએ આ પ્રસંગે ગુરૂનું મહીમા ગાન કરી ગુરૂ વંદના કરી હતી. પ. પૂ. સાહેબજી દાદાએ ગુરૂપૂર્ણિમાનો મહિમા સમજાવી આપણા ઈષ્ટદેવની સાથે ગુરૂ અને માતા-પિતાનો મહિમા જો જીવનમાં હશે તો સદાય સુખિયા રહેવાશે તેમ જણાવ્યું હતું.

અંતમાં સૌએ શ્રીજી મહારાજના ચરણાવિંદ – શ્રી પીદુકાના પૂજન કર્યું હતું અને ગુરૂવર્ય સાહેબ દાદાએ સૌને આશિર્વાદ આપ્યા હતા. સૌ ભાવવિભોર થઇ પ્રસાદ લઇને છૂટા પડ્યા હતા.

LEAVE A REPLY