એર ઇન્ડિયાએ ઇરાન અને ઇઝરાયેલ વચ્ચેની તણાવભરી સ્થિતિને ધ્યાનમાં રાખીને ઇઝરાયલના તેલ અવિવથી આવતી-જતી ફ્લાઇટ્સને આઠ ઓગસ્ટ સુધી તાત્કાલિક અસરથી રદ્ કરી છે. એરલાઇન્સના જણાવ્યા મુજબ, મધ્ય-પૂર્વના કેટલાક વિસ્તારોની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સમયગાળા દરમિયાન તેલ અવિવથી આવતા-જતા કન્ફર્મ બુકિંગ ધરાવતા મુસાફરોને મદદ કરી રહ્યા છીએ. એર ઇન્ડિયા દર સપ્તાહ દિલ્હીથી તેલ અવિવની ચાર ફ્લાઇટ્સનું સંચાલન કરે છે.

LEAVE A REPLY