ગુજરાતના જાણીતા અદાણી ગ્રુપની રીન્યૂએબલ કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ દ્વારા શ્રીલંકામાં બે પ્રસ્તાવિત વિન્ડ પાવર પ્રોજેક્ટને રદ્ કરવામાં આવ્યા છે. શ્રીલંકાની નવી સરકારે ટેરિફમાં ફેરફાર કરવાનો નિર્ણય કરતા અદાણીએ પ્રોજેક્ટને રદ્ કરવાનો નિર્ણય લીધો હતો. આ પ્રોજેક્ટમાં કંપની કુલ એક બિલિયન ડોલરનું રોકાણ કરવાની હતી. શ્રીલંકામાં પ્રેસિડેન્ટ અનુરાકુમાર દિસાનાયકેની નવી સરકાર રચાયા બાદ તેમણે ઓછા ભાવથી વીજળી ખરીદવાનું નક્કી કર્યું હતું.

અદાણી ગ્રુપ શ્રીલંકાના મન્નાર અને પૂનેરિન રિજનમાં કુલ 484 મેગાવોટની ક્ષમતાના બે વિન્ડ ફાર્મ ડેવલપ કરીને ગ્રાહકો સુધી તે વીજળી પહોંચાડવા માટે ટ્રાન્સમિશન લાઈન સ્થાપવાની હતી. આ પ્રોજેક્ટ જૂન-2006 આસપાસ પૂર્ણ થવાનો હતો. અગાઉની સરકારે આ પ્રોજેક્ટ અંતર્ગત અદાણી પાસેથી કિલોવીટ-અવર(કલાક) દીઠ 0.0826 ડોલરના ભાવથી વીજળી ખરીદવા તૈયારી દર્શાવી હતી. નવી સરકારે યુનિટ દીઠ 0.06 ડોલરથી પણ ઓછા ભાવથી વીજળી ખરીદવાની દરખાસ્ત કરી હતી.

જોકે, કંપનીએ કહ્યું હતું કે શ્રીલંકામાં ભવિષ્યમાં રોકાણ માટે કંપની કટિબદ્ધ છે અને શ્રીલંકાની સરકાર ઈચ્છશે તો ભવિષ્યમાં જોડાણ માટે તે મુક્ત મન ધરાવે છે. ગ્રુપે શ્રીલંકાના સૌથી મોટા કોલંબો પોર્ટ ખાતે ટર્મિનલ પ્રોજેક્ટમાં 70 કરોડ ડોલરનું રોકાણ કરવાનું જાળવી રાખ્યું છે.

LEAVE A REPLY