કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારે જમ્મુમાં જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરે છે (ANI Photo)

આગામી 18 સપ્ટેમ્બરથી ચાલુ થતી વિધાનસભા ચૂંટણી પછી જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનું જનતાને વચન આપી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કલમ 370 નાબૂદ કર્યા પછી રાજ્યમાં પ્રથમ વખત રાષ્ટ્રીય ધ્વજ અને બંધારણ હેઠળ ચૂંટણી યોજાઈ રહી છે.

જમ્મુમાં ભાજપના કાર્યકારોની રેલીમાં અમિત શાહે જણાવ્યું હતું કે એનડીએ સરકાર આતંકવાદને ફરી માથું ઉચકવા દેશે નહીં. કેન્દ્ર સરકાર ગુર્જર, પહાડી, બકરવાલ અને દલિતો સહિત કોઈપણ સમુદાય સાથે અન્યાય થવા દેશે નહીં, જેમને ભાજપ સરકારે અનામત આપી છે. આ સમુદાયોની સ્વાયત્તતા પણ છીનવવા દેશે નહીં. અમિત શાહે શુક્રવારે  ભાજપનો ચૂંટણીઢંઢેરો જારી કર્યો હતો.

અમિત શાહે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં આગામી ચૂંટણીઓ ઐતિહાસિક છે, કારણ કે સ્વતંત્રતા પછી બે ધ્વજ અને બે બંધારણની ભૂતકાળની પ્રથાથી વિપરીત આપણા રાષ્ટ્રીય ધ્વજ અને બંધારણ હેઠળ પ્રથમ વખત ચૂંટણી થઈ રહી છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશમાં માત્ર એક જ વડાપ્રધાન છે અને તે મોદી છે.

નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધન પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ જમ્મુ અને કાશ્મીરને ફરી એકવાર ભ્રષ્ટાચાર અને આતંકવાદની આગમાં ધકેલી દેવાનો પ્રયાસ કરી રહ્યા છે જ્યારે ભાજપના આગેવાની હેઠળની સરકારે કેન્દ્રશાસિત પ્રદેશમાં આતંકવાદી ઘટનાઓમાં 70 ટકા ઘટાડો કર્યો છે.નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ J-Kમાં ક્યારેય સરકાર બનાવી શકશે નહીં, તેનો વિશ્વાસ રાખો.

 

 

LEAVE A REPLY