પ્રતિકાત્મક તસવીર (istockphoto)
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર સોમવાર, 15 જુલાઇની વહેલી સવારે આણંદ નજીક પુરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રક ત્યાં ઊભેલી બસ સાથે ધડાકાભેર અથડાતાં છ લોકોના મોત થયા હતાં અને અન્ય છથી વધુ લોકો ઘાયલ થયાં હતાં.
આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે આણંદ જિલ્લાના ચિખોદ્રા ગામ નજીક વહેલી સવારે 4.30 વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ તરફ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસનું એક ટાયર ફાટતાં તે રોડ પર ઊભી હતી, ટાયર બદલવામાં આવી રહ્યું હતું, ત્યારે બસના મુસાફરો નીચે ઉતર્યા અને તેમાંથી કેટલાક વાહનની આગળ રાહ જોઈ રહ્યા હતા જ્યારે એક ઝડપથી આવી રહેલી ટ્રકે બસને પાછળથી ટક્કર મારી હતી. પાંચ વ્યક્તિઓનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે એકનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. મૃતકોમાં બસ ડ્રાઈવરનો પણ સમાવેશ થાય છે.

LEAVE A REPLY