તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી 37 લોકોના મોત થયા હતા. છેલ્લા કેટલાક દિવસોમાં ઝેરી દારૂ પીનારા ઓછામાં ઓછા 55 અન્ય લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 18 લોકોને પુડુચેરીના JIPMER અને છને સાલેમની મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

આમાંના ઘણા પીડિતો કરુણાપુરમ વિસ્તારના હતા. પોતાનો પુત્ર ગુમાવનાર એક મહિલાએ કહ્યું હતું કે “તેને પેટમાં તીવ્ર દુખાવાની અને આંખો ખોલવામાં મુશ્કેલીની ફરિયાદ કરી હતી.તેને અરેકનું સેવન કર્યું છે. નશામાં હોવાનું જણાવીને શરૂઆતમાં હોસ્પિટલે તેને દાખલ કરવાનો ઇનકાર કર્યો હતો. રાજ્ય સરકારે તમામ દારૂની દુકાનો બંધ કરવી જોઈએ.
પોલીસે શંકાસ્પદ બુટલેગરની ધરપકડ કરી હતી અને અન્ય બેની અટકાયત કરી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે તપાસ કરી રહ્યા છીએ કે તેઓએ ખરેખર શું પીધું હતું. અમે ત્રણ લોકોને કસ્ટડીમાં લીધા છે. મૃત્યુ પામેલા ચાર લોકોમાંથી ઓછામાં ઓછા ત્રણે ખાનગી લોકો દ્વારા પૂરા પાડવામાં આવેલ દારૂ પીધો હતો. તેમણે સરકાર સંચાલિત દારૂની દુકાનોમાંથી ખરીદેલ નથી.

એક નિવેદનમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે 26 લોકોએ પેકેટમાંથી એરેક લીધું હતું અને ઉમેર્યું હતું કે ફોરેન્સિક તપાસમાં ઝેરી મિથેનોલની હાજરીની પુષ્ટિ થઈ છે. રાજ્ય સરકારે જિલ્લા પોલીસ વડા સમય સિંહ મીણાને સસ્પેન્ડ કરીને તેમના સ્થાને રજત ચતુર્વેદીની નિમણૂક કરી હતી. કલેક્ટર શ્રવણ કુમાર જાટાવથની જગ્યાએ એમ.એસ.પ્રશાંતની નિમણૂક કરાઈ હતી. પ્રોહિબિશન એન્ફોર્સમેન્ટ વિંગના એક ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ-રેન્કના અધિકારી, ત્રણ ઈન્સ્પેક્ટર અને ઘણા સબ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

રાજ્યના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે તેમને આ ઘટનાથી આઘાત લાગ્યો છે. આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આને રોકવામાં નિષ્ફળ ગયેલા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. અમે લોખંડી હાથે કાર્યવાહી કરીશું. જો આવા ગુનેગારો વિશે જનતા ફરિયાદ કરશે તો કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યપ્રધાને મદ્રાસ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ (નિવૃત્ત) બી ગોકુલદાસ દ્વારા તપાસની જાહેરાત કરી હતી. દરેક પીડિત પરિવારને ₹10 લાખનું વળતર આપવામાં આવશે.

LEAVE A REPLY