જાણીતા લોહાણા અગ્રણી શ્રી વિનોદભાઇ ઠકરારના 70મા જન્મદિવસની શાનદાર ઉજવણી 31 મે, 2024ના રોજ સાઉથ હેરોના ધામેચા લોહાણા સેન્ટર ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મિત્રો, પરિવારજનો, મહાનુભાવો અને વિવિધ સંસ્થાઓના નેતાઓએ હાજરી આપી હતી, જે તેમના વ્યાપક પ્રભાવ અને નેટવર્કને દર્શાવે છે.

હાલમાં ધ ભવનના ટ્રસ્ટી તરીકે સેવા આપતા વિનોદભાઇ માર્કેટિંગ અને પીઆરનું નેતૃત્વ કરે છે. વધુમાં, તેઓ લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL)ની સેવાભાવી સંસ્થા લોહાણા ચેરીટેબલ ફાઉન્ડેશનના અધ્યક્ષ છે. તેઓ આ પહેલા LCNLના પ્રમુખ રહી ચૂક્યા છે જે તેમની સમાજ સેવા પ્રત્યેની તેમની લાંબા સમયથી પ્રતિબદ્ધતા દર્શાવે છે.

વિનોદભાઇ આ અગાઉ અસંખ્ય સામાજિક અને સખાવતી સંસ્થાઓને ટેકો આપી ચૂક્યા છે અને ખાસ કરીને આ જૂથોમાં યુવાનોના જોડાણને પ્રોત્સાહન આપવા માટે ઉત્સાહી છે. તેમના અભૂતપૂર્વ યોગદાનથી સેવા અને નેતૃત્વની ભાવનાને ઉત્તેજન આપતા સમુદાય પર નોંધપાત્ર અસર પડી છે.

આ પ્રસંગે એશિયન મિડીયા ગૃપ (AMG) દ્વારા શ્રી વિનોદભાઇ ઠકરારને જન્મદિવસ પ્રસંગે હૃદયપૂર્વક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને સમાજ સેવા પ્રત્યેના તેમના સતત સમર્પણની પ્રશંસા કરવામાં આવી હતી.

LEAVE A REPLY