ટૂટીંગ બાલ સંસ્કાર ગ્રુપના બાળકો દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળકોએ ગણેશ ચતુર્થી વિશે જાણી કલા પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો અને નૃત્યો રજૂ કર્યા હતા. ગણેશ આરતી અને “ગણપતિ બાપ્પા મોરિયા”ના નાદ સાથે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાયું હતું. આ પ્રસંગના આયોજનમાં મદદ માટે તમામ સ્વયંસેવકો, વાલીઓ અને બાળકોનો વિશેષ આભાર વ્યક્ત કરાયો હતો.

LEAVE A REPLY