(PTI Photo)

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના બે દિવસ પછી ગુજરાત સરકારે સોમવારે છ અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. અધિકારીઓને “ગેમ ઝોનને જરૂરી મંજૂરીઓ વિના ચલાવવાની મંજૂરી આપવામાં તેમની ઘોર બેદરકારી માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતાં.

સરકારે સસ્પેન્ડ કર્યા છે તેવા અધિકારીઓમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગના મદદનીશ ઈજનેર જયદીપ ચૌધરી, આરએમસીના મદદનીશ ટાઉન પ્લાનર ગૌતમ જોષી, રાજકોટ માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર એમ.આર.સુમા અને પારસ કોઠીયા તથા પોલીસ ઈન્સ્પેક્ટર વી.આર.પટેલ અને એનઆઈ રાઠોડનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, ગેમ ઝોન, જ્યાં શનિવારે આગ ફાટી નીકળી હતી, તે ફાયર એનઓસી (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) વગર ચલાવવામાં આવી હતી. રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે રવિવારે પત્રકારોને જણાવ્યું હતું કે, “ગેમ ઝોનને માર્ગ અને મકાન વિભાગ તરફથી પરવાનગીઓ મળી હતી. તેને ફાયર એનઓસી મેળવવા માટે ફાયર સેફ્ટી સાધનોનો પુરાવો પણ સબમિટ કર્યો હતો, જે પ્રક્રિયા હેઠળ હતી અને હજુ સુધી પૂર્ણ થઈ નથી.

રાજકોટના નાના-મવા વિસ્તારમાં શનિવારે સાંજે TRP ગેમ ઝોનમાં લાગેલી આગમાં બાળકો સહિત 27 લોકોના મોત થયા હતા. અધિકારીઓએ અગાઉ જણાવ્યું હતું કે પોલીસે બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી અને ગેમ ઝોનના છ ભાગીદારો અને અન્ય એક આરોપી સામે વિવિધ આરોપો સાથે એફઆઈઆર નોંધી હતી.

LEAVE A REPLY