(PTI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને હરાવીને સતત ત્રીજી વખત વારાણસી બેઠક જીતી હતી. જોકે આ વખતે મોદીનું વિજય માર્જિન 1.52 લાખ મત રહ્યું હતું, જે તેમના 2019 અને 2014ના વિજય માર્જિન કરતા ઓછું છે. 2019માં મોદીની જીતનું માર્જિન આશરે 4.79 લાખ વોટ હતું. તેમણે તે સમયે સપાના શાલિની યાદવને હરાવ્યા હતા. 2014માં, મોદીએ AAPના અરવિંદ કેજરીવાલને હરાવ્યા ત્યારે 3,71,784 મતોના માર્જિનથી જીત મેળવી હતી. આ વખતે બીજેપી નેતાઓ દાવો કરી રહ્યા હતા કે પીએમ મોદીની જીત એક રેકોર્ડ બનાવશે.

LEAVE A REPLY