વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ધૂળેમાં જાણીતા જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે મુલાકાત કરી હતી. તેમણે જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબના સમાજ સેવા અને આધ્યાત્મિકતા પ્રત્યેના યોગદાનની પણ પ્રશંસા કરી હતી. વડાપ્રધાને જણાવ્યું હતું કે, “ધૂળેમાં, જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબને મળ્યા. સમાજ સેવા અને આધ્યાત્મિકતામાં તેમનું યોગદાન પ્રશંસનીય છે. તેમના વિપુલ લેખન માટે પણ તેમની પ્રશંસા કરવામાં આવે છે.” મહારાજ સાહેબે વડાપ્રધાનને આશીર્વાદ પાઠવ્યા હતા.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments