નવનાત વણિક એસોસિએશનના હોદ્દેદારો

રવિવાર, 12મી મે, 2024ના રોજ, નવનાત વણિક એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા (AGM) યોજાઇ હતી જેમાં 500થી વધુ લોકોએ હાજરી આપી હતી. બેઠક દરમિયાન, 2024-2026 ટર્મ માટે નવી કારોબારી સમિતિની પસંદગી કરવામાં આવી હતી. નવા ચૂંટાયેલા સભ્યોની યાદી આ મુજબ છે.

પ્રમુખ: જસવંતરાય રતિલાલ દોશી; ઉપ પ્રમુખ: કિશોરચંદ્ર છોટાલાલ વોરા; સેક્રેટરી: સુભાષ કાંતિલાલ બખાઈ; મદદનીશ સેક્રેટરી: બચુલાલ ચુનીલાલ મહેતા; ખજાનચી: કેતન રમણીકલાલ જશાપરા; મદદનીશ ખજાનચી: દિલીપ વિઠ્ઠલજી મીઠાણી; હોલ સેક્રેટરી: હસુમતી વિનોદ દોશી; મેમ્બરશીપ સેક્રેટરી: કિરીટ બાટવીયા. કમિટી મેમ્બર્સ: ડેવિડ બ્રોડી હોલ્ડન, કિશોર બાટવીયા, મયુર દોશી, પિયુષ જયસુખ વોરા, સંગીતા બાવિશા, શમીર સંઘરાજકા, શિરીષકુમાર બાબુલાલ મીઠાણી.

હોદ્દેદાર ટ્રસ્ટીઓ: સરોજ વરિયા (નવનાત વણિક ભગિની સમાજ), નટવરલાલ મહેતા (નવનાત વડીલ મંડળ). અનુપ મહેતા (નવનત બ્રિજ ક્લબ) અને દિવ્યેશ કામદાર (નવનત ગોલ્ફ ક્લબ)

નવનાત વણિક એસોસિએશન એડવાઇઝરી બોર્ડ

નવનાત વણિક એસોસિએશન એડવાઇઝરી બોર્ડે સુનિલ સાંગાણીનો કાર્યકાળ પૂર્ણ થતાં તેમની સમર્પિત સેવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અને જયેશ દોશીનું બોર્ડમાં સ્વાગત કરાયું હતું.

નવનાત વણિક એસોસિએશન એડવાઇઝરી બોર્ડના નવનિયુક્ત સદસ્યોના નામ આ મુજબ છે. ચેરમેન: અમિત લાઠીયા. સલાહકારો: બીના સંઘવી, જયેશ દોશી, કૂલેશ શાહ અને નીતિન પારેખ.

LEAVE A REPLY