વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મહેસાણાના વિસનગર ખાતે વાળીનાથ ધામ મંદિરના 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહમાં હાજરી આપી હતી. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ જોવા મળ્યા હતા. (ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીએ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં વાળીનાથ ધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે દેશ એક અનોખા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે જ્યાં ‘દેવ કાજ’ અને ‘દેશ કાજ’ બંને એકસાથે અને ઝડપી ગતિએ ચાલી રહ્યા છે. મંદિરો ફક્ત ‘દેવાલયો’ નથી, પરંતુ સંસ્કૃતિ અને પરંપરાના પ્રતીકો તેમજ જ્ઞાનના કેન્દ્રો છે. અમે એક તરફ ‘દેવાલય’ બનાવી રહ્યા છીએ અને બીજી તરફ ગરીબો માટે ઘરો બાંધવામાં આવી રહ્યા છે.

વડાપ્રધાન મોદીની સાથે આવેલા ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારતના સાંસ્કૃતિક વારસાને વિશ્વ ઓળખ મળી છે. PM મોદીએ ‘વિરાસત ભી, વિકાસ ભી’નું સૂત્ર આપ્યું છે અને સમગ્ર ગુજરાતમાં વિકાસની યોજનાઓ ચાલી રહી છે. આજની ઘટના ‘ઉત્તર ગુજરાત’ને ‘ઉત્તમ ગુજરાત’માં ફેરવશે.

વાળીનાથ મંદિરના ‘ગાદીપતિ’ જયરામગીરી બાપુએ જણાવ્યું કે મંદિરનું નિર્માણ 14 વર્ષમાં થયું છે.આ સ્થળનો 900 વર્ષનો ઈતિહાસ છે. 15,000 મહેમાનોની ભાગીદારી સાથેનો ‘મહાયજ્ઞ’ કરવામાં આવ્યો છે. 900 વર્ષ જૂનું મંદિર નવનિર્મિત થયું છે. વિસનગર તાલુકાના તરભ ગામમાં ગુજરાતના સૌથી મોટા સોમનાથ મંદિર પછીનું બીજું સૌથી મોટું શિવ મંદિર બનાવવામાં આવ્યું છે.

 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments