(ANI Photo)

વિદેશથી આવતા પ્રિ-વેરિફાઇડ ભારતીય નાગરિકો અને ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (ઓસીઆઈ) કાર્ડધારકોના ઝડપથી અને સરળ ઇમિગ્રેશન માટે કેન્દ્રીય પ્રધાન અમિત શાહે શનિવાર, 22 જૂને એક વિશેષ પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો. આ પ્રોગ્રામ હેઠળ મુસાફરોને ભારતમાં આઠ મોટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સ્થાપવામાં આવનાર ઈ-ગેટ્સ અથવા ઓટોમેટેડ બોર્ડર ગેટ દ્વારા ઝડપથી ઈમિગ્રેશન ક્લિયર મળશે.

આ પ્રોગ્રામથી મુસાફરોને ઝડપી, પરેશાની રહિત અને સુખદ મુસાફરીનો અનુભવ થશે. આ ઉપરાંત બિઝી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભીડમાં ઘટાડો થવાની અને ઇમિગ્રેશન ક્લિયરન્સની લાંબી લાઇનમાં ઘટાડો થવાની અપેક્ષા છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલના ટર્મિનલ-3 ખાતે ‘ફાસ્ટ ટ્રેક ઈમિગ્રેશન – ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ’ (FTI-TTP)નું ઉદ્ઘાટન કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રોગ્રામ સરકારની એક વિઝનરી પહેલ છે. તે  ભારતીય નાગરિકો અને OCI કાર્ડધારકો માટે વિચારપૂર્વક ડિઝાઇન કરાયો છે. પાત્રતા ધરાવતા વ્યક્તિઓએ ઓનલાઈન અરજી કરવાની અને અરજી ફોર્મમાં ઉલ્લેખિત અન્ય જરૂરી માહિતી સાથે તેમના બાયોમેટ્રિક્સ (ફિંગરપ્રિન્ટ અને ફેસિયલ ઇમેજ) સબમિટ કરવાની રહેશે. મંજૂર થયેલી અરજીઓને તેમની બાયોમેટ્રિક્સ વિગતો પ્રદાન કરવાની એપોઇન્ટમેન્ટ એક મેસેજ મળશે. આ એપોઇન્ટમેન્ટ મુજબ અરજદારો તેમની બાયોમેટ્રિક્સ વિગતો ભારતમાં નિયુક્ત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અથવા નજીકની ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ (FRRO) પર આપી શકશે. અરજીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે બાયોમેટ્રિક્સ ફરજિયાત છે.

FTI રજિસ્ટ્રેશન મહત્તમ પાંચ વર્ષ માટે અથવા પાસપોર્ટની માન્યતા સુધી માન્ય રહેશે. FTI-TTP માટે અરજી કરતી વખતે અરજદારોએ પાસપોર્ટની વેલિડિટી ઓછામાં ઓછી છ મહિના હોય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. પ્રોગ્રામરની મેમ્બરશીપ પાસપોર્ટની માન્યતા સાથે સમાપ્ત થશે.

બીજા એક અધિકારીએ જણાવ્યું હતું કે અરજી રિજેક્ટ ન થાય તે માટે અરજદારે વર્તમાન રહેણાંકનું સરનામું આપવું જરૂરી છે. જો અરજીમાં ખોટી માહિતી હશે અથવા કોઇ તથ્યો છુપાવવામાં આવ્યાં હશે તો તે રિજેક્ટ થશે. જે અરજદારોના બાયોમેટ્રિક્સ, કોઈપણ ટેકનિકલ કારણોસર કેપ્ચર કરી શકાતા નથી તેવા અરજદારોનું FTI-TTP રજિસ્ટ્રેશન થશે નહીં.

FTI હેઠળ રજિસ્ટ્રેશન જરૂરી ચકાસણી અને પાત્રતાની પુષ્ટિ કર્યા પછી પૂર્ણ થશે. અરજદારોની ઓળખ મોબાઈલ OTP અને ઈ-મેઈલ વેરિફિકેશન દ્વારા સફળતાપૂર્વક પ્રમાણિત થઈ ગયા પછી રજિસ્ટ્રેશન થશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સપોર્ટ હેલ્પ ડેસ્ક ઈ-મેલ આઈડી [email protected]. આપ્યું છે.

પ્રથમ તબક્કામાં દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, કોચી અને અમદાવાદ એરપોર્ટ પર તેનો અમલ થશે.  બીજા તબક્કામાં તે 21 એરપોર્ટ પર લોન્ચ કરાશે. હાલમાં ફક્ત ભારતીય નાગરિકો અને OCI જ તેનો લાભ લઈ શકશે. બીજા તબક્કામાં, પ્રોગ્રામમાં 13 વધુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉમેરવામાં આવશે અને વિદેશી નાગરિકોને પણ આવરી લેવામાં આવશે.

LEAVE A REPLY