ઓપિનિયન પોલ્સે સૂચવ્યું છે કે કિંગ ચાર્લ્સ મહારાણીને જે માન, મરતબો અને રૂદબો મળ્યો હતો તેવું જ સમાન સમર્થનનો કે આનંદ માણી શકતા નથી. એવી અટકળો છે કે રાણી એલિઝાબેથની ખોટના કારણે અન્ય દેશોમાં અને લોકોમાં  પ્રજાસત્તાક ભાવનામાં વધારો થઈ શકે છે.

શાહી ઇતિહાસકાર હ્યુગો વિકર્સે કહ્યું હતું કે “મને લાગે છે કે લોકો સમજે છે તેના કરતા વધુ, દરેક માટે એક પ્રચંડ આંચકો હશે. મને ખબર નથી કે તેવું વિચારવું અતિશયોક્તિ છે, પરંતુ લગભગ કોઈ પ્રકારનું રાષ્ટ્રીય નર્વસ બ્રેકડાઉન હશે. તેમની તોલે, તેમના શાસનની કોઇ હરીફાઇ કરી શકે તેવી જરાપણ સંભાવના નથી. પ્રામાણિકપણે કહુ તો જો આપણે 1,000 વર્ષ જીવશું તો પણ આપણે તેમના જેવું કંઈ ફરીથી જોઈ શકવાના નથી.”

મહારાણી મૃત્યુ સમયે માત્ર યુનાઇટેડ કિંગડમ જ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયા, બહામાસ, બેલીઝ, કેનેડા, ગ્રેનાડા, જમૈકા, ન્યુઝીલેન્ડ, પાપુઆ ન્યુ ગિની, સેન્ટ લુસિયા, સેન્ટ કિટ્સ અને નેવિસ, તુવાલુ, સોલોમન, ટાપુઓ, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સ અને એન્ટિગા અને બાર્બુડાના પણ વડા હતા.

LEAVE A REPLY