લોકસભાની ચૂંટણીના રિઝલ્ટ પછી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે દાવો કર્યો હતો જો તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા વારાણસીથી લોકસભાની ચૂંટણી લડ્યા હોત તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2થી 3 લાખ મતથી હારી ગયા હોત.
રાયબરેલીમાં મતદાતાનો આભાર માનવાના એક કાર્યક્રમાં તેમણે કહ્યું હતું કે સંસદમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએની તાકાત ઘટાડવા માટે ઇન્ડિયા ગઠબંધનના ઘટક પક્ષો રાયબરેલી, અમેઠી અને દેશના અન્ય વિસ્તારોમાં એકજૂથ થઈને ચૂંટણી લડ્યાં હતા.  ચૂંટણીના પરિણામોથી તેઓ અને પક્ષના સંસદસભ્યો અહંકારનો ભોગ બનશે નહીં અને જનતાના હિત માટે કામ કરશે.
રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહ દરમિયાન સામાન્ય લોકોની અવગણના કરીને ટોચના ઉદ્યોગપતિઓને મહત્ત્વનો આપવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપ કરતાં તેમણે જણાવ્યું હતું કે જનતાએ અયોધ્યામાં ભાજપની હરાવીને તેને બોધપાઠ શીખવ્યો છે. સંક્ષિપ્ત ભાષણમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ અમેઠી અને રાયબરેલીના લોકોનો આ મતવિસ્તારોમાં પાર્ટીની જીત સુનિશ્ચિત કરવા બદલ આભાર માન્યો હતો.

LEAVE A REPLY