ભારતીય વિદ્યા ભવન, યુકે દ્વારા ઓપરેશન એન્ડ બિઝનેસ ડેવલપમેન્ટના વડા તરીકે મીરા વિનય કૃષ્ણાની નિમણૂક કરી છે.

મીરા ભારતીય શાસ્ત્રીય નૃત્ય અને સંગીત માટે વિશ્વભરમાં સૌથી મોટા અને સૌથી લોકપ્રિય ડિજિટલ પ્લેટફોર્મ્સ પૈકીના એક ‘ઇન્ડિયાન રાગા’માં સેવા આપતા હતા.

ભવનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, UK ડૉ. મત્તુર નંદકુમાર, MBEએ જણાવ્યું હતું કે “ભંડોળ ઊભુ કરવા અને માર્કેટિંગ પ્રવૃત્તિઓનું નેતૃત્વ કરવા માટે વિવિધ ગુણોથી સજ્જ મીરા મળતા અમને આનંદ થાય છે. તેણી આ ભૂમિકા માટે અનુભવ અને યોગ્ય કૌશલ્યોનો વિશાળ ભંડાર લાવે છે. અમે યુકેમાં ભવનની પ્રવૃત્તિઓ વિકસાવવા અને ભારતીય સંસ્કૃતિ તથા વારસાની સમૃદ્ધ ટેપેસ્ટ્રીને જાળવી રાખવા માંગીએ છીએ જેથી 21મી સદીમાં સંસ્થાનો વિકાસ કરી શકીએ.”

LEAVE A REPLY