ઉત્તર પ્રદેશમાં વિવાદાસ્પદ માફિયા ડોન અતિક અહેમદના પુત્ર અને પ્રયાગરાજ શૂટઆઉટ પછી ફરાર અસદનું એસટીએફ દ્વારા ગુરુવારે ઝાંસીમાં એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. આ એન્કાઉન્ટરની જાણ થતાં જ ઉમેશ પાલના પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી. ઉમેશ પાલની પત્ની જયા પાલ અને ઉમેશ પાલની માતા શાંતિ દેવીએ કહ્યું કે અંતે અમને ન્યાય મળ્યો છે.
ઉમેશ પાલ હત્યા કેસમાં ફરાર માફિયા અતીકના પુત્ર અસદની સાથે તેના સાગરીત ગુલામને એસટીએફ દ્વારા એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો છે. બંને પર પાંચ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. એસટીએફનો દાવો છે કે તેમની પાસેથી વિદેશી હથિયારો મળ્યા છે. આ એન્કાઉન્ટર અંગે ઝાંસીમાં ડેપ્યુટી એસપી નવેન્દુ અને ડેપ્યુટી એસપી વિમલના નેતૃત્વમાં એન્કાઉન્ટરનું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.