હરિયાણાના પલવલમાં જનસભા સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસે દેશ માટે મહત્વના દરેક મુદ્દાને લટકાવી રાખ્યાં છે. તે મુદ્દાને લટકાવી રાખવામાં નિષ્ણાત છે.કોંગ્રેસે અયોધ્યામાં રામ મંદિર બનવા ન દીધું, તેઓએ બીઆર આંબેડકરના બંધારણને જમ્મુ અને કાશ્મીરમાં સંપૂર્ણ રીતે લાગુ થવા દીધું, તેઓએ આપણી બહેનોને સંસદ અને વિધાનસભામાં અનામતથી વંચિત રાખી. તેઓએ મુસ્લિમ બહેનોને ટ્રિપલ તલાકની સમસ્યામાં ફસાવી દીધી હતી. કોંગ્રેસે દેશ અને દેશવાસીઓની સમસ્યાઓનું નિરાકરણ નથી કર્યું, પરંતુ તેમણે તેમના પુત્ર, પુત્રી અને પરિવારને સ્થાપિત કરવા માટે તમામ શક્તિ લગાવી દીધી છે. કોંગ્રેસનો એકમાત્ર એજન્ડા મત માટે તુષ્ટિકરણ છે, મહત્તમ તુષ્ટિકરણ છે.

જાતિવાદી રાજકારણ રમવા પર કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ જાતિવાદનો પ્રચાર કરી એક સમુદાયને બીજા સમુદાયની વિરુદ્ધ કરીને દેશમાં દેશભક્તિને કચડી નાખવા માંગે છે. કોંગ્રેસનો અભિગમ ખોટા વચનો અને નિષ્ક્રિયતા છે. કોંગ્રેસની ફોર્મ્યુલા ન તો કામ કરવાની છે અને ન તો બીજાને કામ કરવા દેવાની છે. તેનો એકમાત્ર એજન્ડા મત માટે તુષ્ટિકરણ છે.

કેન્દ્રમાં સત્તા પર હોય તે પાર્ટી હરિયાણામાં પણ સરકાર બનાવે છે, તે પરંપરાને યાદ કરી વડાપ્રધાને જણાવ્યું હતું કે તમે ત્રીજી વખત દિલ્હીમાં ભાજપની સરકાર બનાવી છે અને હવે તમે અહીં હરિયાણામાં ત્રીજી વખત ભાજપની સરકાર બનાવવાનો નિર્ણય કર્યો છે.

કોંગ્રેસમાં કુમારી સેલજા અને ભૂપિન્દર સિંહ હુડ્ડા વચ્ચેના વિખવાદનો ઉલ્લેખ કરીને મોદીએ જણાવ્યું હતું કે પાર્ટીથી સૌથી વધુ અસંતુષ્ટ હોય તેવા લોકોમાં દલિત, પછાત અને વંચિત સમુદાયના લોકોનો સમાવેશ થાય છે. દલિત સમુદાયે નક્કી કર્યું છે કે તેઓ કોંગ્રેસની રાજકીય રમતના પ્યાદા નહીં બને. કોંગ્રેસ પાસે માત્ર એક જ એજન્ડા છે અને તે મત માટે તુષ્ટિકરણ છે. કર્ણાટકની જેમ કોંગ્રેસ દલિતો અને પછાત વર્ગો માટે અનામત સમાપ્ત કરવા માગે છે.

LEAVE A REPLY