(PTI Photo)
ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ નેશનલ હાઈવે પર સોમવારે થયેલા ભયાનક ભૂસ્ખલમાં સુરતના તીર્થયાત્રી સહિત પાંચ લોકોના મોત થયા હતાં અને ત્રણ ઘાયલ થયા હતા.મંગળવારે વધુ ચાર મૃતદેહો મળી આવ્યા હતાં. બાબા કેદારનાથના દર્શન કરીને પરત ફરી રહેલા યાત્રિકો પર પહાડી પરથી કાટમાળ અને પથ્થરો પડ્યા હતા, જેના પરિણામે પાંચ શ્રદ્ધાળુઓના કરુણ મોત થયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર ખરાબ હવામાન, હિમવર્ષા, અંધારુ  અને ઘટનાસ્થળે સતત કાટમાળ અને પથ્થરો પડવાના કારણે સોમવારે રાત્રે બચાવ કામગીરી બંધ કરવી પડી હતી. જે બાદ આજે મંગળવારે સવારે વાતાવરણમાં સુધારો આવતાં ફરી રાહત કામગીરી ફરી શરૂ કરાઈ હતી. કાટમાળમાંથી ત્રણ મહિલાઓ સહિત ચાર શ્રદ્ધાળુઓના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતાં.
મૃતદેહોની ઓળખ મધ્યપ્રદેશના ઘાટ જિલ્લાના નેપાવલીની રહેવાસી દુર્ગાબાઈ ખાપર (50), નેપાળના ધનવા જિલ્લાના વૈદેહી ગામની રહેવાસી તિતલી દેવી મંડલ (70), મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ઝિઝોરાના રહેવાસી સમનબાઈ (50),ગુજરાતના સુરતના ખટોદરાના રહેવાસી ભરતભાઈ નિરાલાલ (52) તરીકેની થઈ હતી. આ પહેલા સોમવારે રાત્રે ઘટના સ્થળેથી મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રહેવાસી ગોપાલજી (50)નો મૃતદેહ મળી આવ્યો હતો

LEAVE A REPLY