પ્રતિકાત્મક ફોટો (ANI Photo)
ગાંધીનગરમાં દશામાના વ્રતની ઉજવણી બાદ બુધવારે દશામાની મૂર્તિનું સાબરમતી નદીમાં વિસર્જન કરતી વખતે 5 લોકો ડુબ્યા હતા અને તેમાંથી એક બાળકી સહિત ત્રણના મોત થયા હતો. સ્થાનિકો લોકોની મદદથી 5માંથી 2 લોકોને બચાવી લેવાયા હતા.
મળતી માહિતી અનુસાર સેક્ટર-30 પાસે સાબરમતી નદીમાં બેલેન્સ ગુમાવતા નદીમાં પડેલા એક વ્યક્તિને બચાવવા જતા 5 લોકો ડૂબ્યાં હતાં. સમગ્ર ઘટનાની જાણ ગાંધીનગર ફાયર બ્રિગેડને કરતા તાત્કાલિક ઘટના સ્થળે આવીને બાળકી, મહિલા અને પુરુષના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં મળતી માહિતી મુજબ મૃતકોમાં બાર વર્ષની યુવતીનું પૂનમ પ્રજાપતિ જ્યારે અન્ય બે વ્યક્તિનું અજય વણઝારા અને ભારતીબેન પ્રજાપતિ હોવાનું જાણવા મળ્યું હતું. હાલ પોલીસની ટીમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY