(PTI Photo)

ભારતમાં શુક્રવાર 26 જુલાઇએ કારગિલ વિજય દિવસની ઉજવણી કરાઈ હતી અને શહીદ થયેલા બહાર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. 1999ના કારગિલ યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતના વિજયના અવસરે દર વર્ષે 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ મનાવવામાં આવે છે.  25માં કારગિલ વિજય દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  કારગિલ યુદ્ધ સ્મારક પર જઇને બહાદુર શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે કારગિલ વિજય દિવસ દેશની સશસ્ત્ર દળોની હિંમત અને અસાધારણ બહાદુરીને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રસંગ છે.

મોદીએ કારગીલમાં વોર મેમોરિયલ પહોંચીને જવાનોને સંબોધિત કર્યાં હતાં. મોદીએ વર્ષ 1999માં ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં પોતાના પ્રાણની આહુતિ આપનાર બહાદુર જવાનોને યાદ કરતાં પાકિસ્તાન પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ‘પાકિસ્તાને ભૂતકાળમાં જેટલા પણ દુષ્પ્રયત્ન કર્યાં તેને હંમેશા જડબાતોડ જવાબ મળ્યો છે, પરંતુ પાકિસ્તાને પોતાના ઈતિહાસથી કંઈ શીખ્યું નથી. તે આતંકવાદ અને પ્રોક્સી વોરના સહારે પોતાને પ્રાસંગિક બનાવવાના પ્રયત્ન કરી રહ્યું છે.’

મોદીએ વધુમાં જણાવ્યું કે આજે હું એવા સ્થળેથી બોલી રહ્યો છું જ્યાં આતંકના આકા મારો અવાજ સીધો સાંભળી શકે છે, હું આતંકવાદના આ સંરક્ષકોને જણાવવા માગુ છું કે તેમના નાપાક ઈરાદા ક્યારેય સફળ થશે નહીં. અમારા જવાન પૂર્ણ તાકાતથી આતંકવાદને કચડી નાખશે અને દુશ્મનને જડબાતોડ જવાબ આપશે.’

LEAVE A REPLY