વિખ્યાત લેખક ત્રિપુરદમન સિંહ ભારતના બંધારણમાં કરાયેલા પ્રથમ સુધારાની વાર્તા ‘સીક્ષ્ટીન સ્ટોર્મી ડેઝ: ધ સ્ટોરી ઓફ ધ ફર્સ્ટ અમેન્ડમેન્ટ ટૂ ધ કોન્સ્ટીટ્યુશન ઓફ ઇન્ડિયા’ લઇને આવ્યા છે. આ પુસ્તકને રામનાથ ગોએન્કા એવોર્ડ 2020 મળેલો છે.

26મી જાન્યુઆરી 1950ના રોજ ભારત વસાહતી ભૂતકાળ સાથેની તેની છેલ્લી કડીઓ તોડીને સ્વતંત્રતાના નવા યુગની શરૂઆત સાથે એક પ્રજાસત્તાક દેશ બન્યો હતો. રાજ્ય દ્વારા મૂળભૂત અધિકારો અને નાગરિક સ્વતંત્રતાઓની બાંયધરી સાથે, નવા બંધારણને ‘ઉદાર સરકારમાં વિશ્વનો સૌથી મોટો પ્રયોગ’ તરીકે સાર્વત્રિક રીતે વખાણવામાં આવ્યો હતો. પણ માંડ બાર મહિના પણ નહોતા વિત્યા ત્યાં બંધારણના ઘડવૈયાઓ તેમની પોતાની રચનાની નિંદા કરી રહ્યા હતા.

જૂન 1951માં પસાર થયેલ, બંધારણમાં પ્રથમ સુધારો એ ભારતીય બંધારણીય ઇતિહાસમાં એક મુખ્ય ક્ષણ હતી. સંસદની અંદર અને બહાર જબરદસ્ત વિરોધનો સામનો કરીને, સ્વતંત્ર ભારતની સૌથી ઉગ્ર સંસદીય ચર્ચાઓનો વિષય, પ્રથમ સુધારાએ વાણી સ્વાતંત્ર્ય પર ભારે અંકુશ મૂક્યો હતો; ભેદભાવ સામેની સ્વતંત્રતાને પ્રતિબંધિત કરીને જાતિ આધારિત આરક્ષણને સક્ષમ બનાવ્યું હતું; મિલકતના હકને સંકુચિત કરાયો હતો અને જમીનદારી પ્રણાલીને માન્ય કરાઇ હતી. ન્યાયિક પડકાર સામે પ્રતિરક્ષા ગેરબંધારણીય કાયદાઓનું વિશેષ શેડ્યૂલ તૈયાર કરાયું હતું. આ પુસ્તક બંધારણમાં કરાયેલા પ્રથમ સુધારાના વિવાદાસ્પદ વારસાની શોધ કરે છે.

આ પુસ્તક તે સોળ દિવસની ચર્ચાને અનુસરે છે જેણે તે બંધારણને બનાવ્યું હતું, જે લોકોએ તેને બનાવ્યું, તેની સામે લડાયેલા મહાન યુદ્ધ અને ભારતીય લોકશાહી માટે તેના ભારે પરિણામોનો તેમાં ઉલ્લેખ કરાયો છે. ઇતિહાસમાં લગભગ ભૂલાઇ ગયેલા ભારે પરિણામરૂપ ભાગ વિશેની સાવચેતીભરી વાર્તા આ પુસ્તકમાં રજૂ કરાઇ છે. જે આજે ભારતમાં નાગરિક સ્વતંત્રતા અને વ્યક્તિગત સ્વતંત્રતાની સ્થિતિને સમજવાની ચાવી ધરાવે છે. આ પુસ્તક જવાહરલાલ નેહરુ, બી.આર. આંબેડકર, રાજેન્દ્ર પ્રસાદ, સરદાર પટેલ અને શ્યામા પ્રસાદ મુખર્જી, અને ભારતના બંધારણના ઉદાર વચન અને તેમની પ્રથમ સરકારના સરમુખત્યારશાહી આવેગ વચ્ચેની વિશાળ ખાડીને ઉઘાડી પાડે છે.

‘સીક્ષ્ટીન સ્ટોર્મી ડેઝ: ધ સ્ટોરી ઓફ ધ ફર્સ્ટ અમેન્ડમેન્ટ ટૂ ધ કોન્સ્ટીટ્યુશન ઓફ ઇન્ડિયા’ ભારતના બંધારણના પ્રથમ સુધારાની ઉત્તેજક વાર્તા-ભારતીય રાજકીય અને બંધારણીય ઈતિહાસની મુખ્ય ઘટનાઓમાંની એક અને વિચારોની તેની પ્રથમ મહાન લડાઈનું વર્ણન કરે છે.

લેખક પરિચય

સાઉથ એશિયાના ઈતિહાસકાર ત્રિપુરદમન સિંહ યુનિવર્સિટી ઓફ લંડનની ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોમનવેલ્થ સ્ટડીઝ ખાતેના બ્રિટિશ એકેડેમી પોસ્ટડોક્ટરલ ફેલો છે. આગ્રા, ઉત્તર પ્રદેશમાં 1988માં જન્મેલા, ત્રિપુરદમને યુનિવર્સિટી ઓફ વોરીકમાં રાજકારણ અને આંતરરાષ્ટ્રીય અભ્યાસ કર્યો છે. ત્યારબાદ આધુનિક સાઉથ એશિયન અભ્યાસમાં એમફિલ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં પીએચડીની પદવી મેળવી છે.

તેઓ આગ્રા યુનિવર્સિટીમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચ પોસ્ટડોક્ટરલ ફેલો અને ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એશિયન સ્ટડીઝ, યુનિવર્સિટિટ લીડેન અને ફાઉન્ડેશન મેઈસન ડેસ સાયન્સ ડે લ’હોમ, પેરિસ ખાતે વિઝિટિંગ ફેલો રહી ચૂક્યા છે.

ત્રિપુરદમન રોયલ એશિયાટિક સોસાયટીના ફેલો છે અને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ હિસ્ટોરિકલ રિસર્ચ તરફથી ફેલોશિપ પુરસ્કાર પ્રાપ્ત કરનાર છે. કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ દ્વારા તેમનું પહેલુ પુસ્તક, ઇમ્પિરીયલ  સોવરીનીટી એન્ડ લોકલ પોલિટીક્સ પ્રકાશિત કરાયું હતું. તેઓ કેમ્બ્રિજ અને આગ્રામાં રહે છે.

Book: Sixteen Stormy Days – The Story of the First Amendment to the Constitution of India

Author: Tripurdaman Singh

Publisher: Bloomsbury Publishing

Price: £18

LEAVE A REPLY