@arvind_ladani_

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ બુધવારે વિધાનસભા અને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. આની સાથે છેલ્લા ત્રણ મહિનામાં રાજીનામું આપનારા કોંગ્રેસના ચોથા ધારાસભ્ય બન્યા હતાં. બે દિવસ પહેલા જ કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું અને મંગળવારે ભાજપમાં જોડાયા હતા. આ પહેલા ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ અને વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડા પણ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતાં.

લાડાણી જૂનાગઢ જિલ્લાના માણાવદરના પ્રથમ વખતના ધારાસભ્ય છે. તેઓ ભાજપમાં જોડાઈ જશે તેવી અટકળો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ગુજરાતમાં પ્રવેશ કરે તે પહેલા પાર્ટીના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. અરવિંદ લાડાણીએ ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને તેમનું રાજીનામું સોંપ્યું હતું, અને બાદમાં કહ્યું હતું કે તેમના વિધાનસભા મતવિસ્તારના વિકાસ માટે શાસક પક્ષ સાથે રહેવું જરૂરી છે.

નવા આંચકા સાથે 182 સભ્યોના ગૃહમાં કોંગ્રેસની ધારાસભ્યોની સંખ્યા ઘટીને 13 થઈ છે. 2022ની ચૂંટણીમાં કોંગ્રેસનો કુલ 17 બેઠકો પર વિજય થયો હતો.

અરવિંદ લાડાણીએ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જવાહર ચાવડાને 3,400 મતોના પાતળા માર્જિનથી હરાવ્યા હતાં. અરવિંદ લાડાણી કોંગ્રેસના 17 ધારાસભ્યોમાંના એક હતા જેઓ 2022 માં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા જીતેલી ચૂંટણીમાં જીત્યા હતા.

 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments