
ભારતમાં કોરોના કેસની સંખ્યા 57 લાખના આંકને વટાવી ગઈ છે, જ્યારે અત્યાર સુધી આશરે 46 લાખ લોકો કોરાનાથી રિકવર થયા છે. તેનાથી રાષ્ટ્રીય રિકવરી રેટ વધીને 81.55 ટકા થયો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે સવારે આઠ વાગ્યે અપડેટ કરેલા ડેટા મુજબ છેલ્લાં 24 કલાકમાં 86,508 નવા કેસ સાથે દેશમાં કુલ આંકડો વધીને 57,32,518 થયો છે. કોરોનાને કારણે કુલ મૃત્યુઆંક 91,149 થયો છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં આ મહામારીને કારણે 1,129 લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધી રિકવર થયેલા લોકોની સંખ્યા 46,74,987 થઈ છે. દેશમાં હાલમાં કુલ 9,66,382 એક્ટિવ કેસ છે.
